• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મુલન કાયદો વિધાનસભામાં રજૂ કરાશે: કાળા જાદુ કરનાર દોષિતોને ૭ વર્ષ સુધીની જેલ, 50 હજાર સુધીનો દંડ થશે

ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મુલન કાયદો વિધાનસભામાં રજૂ કરાશે: કાળા જાદુ કરનાર દોષિતોને ૭ વર્ષ સુધીની જેલ, 50 હજાર સુધીનો દંડ થશે

01:29 PM August 18, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Anti-Superstition Bill Gujarat 2024: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આગામી ૨૧થી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાવાનું છે. આ સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવાની છે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે. ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક ૨૦૨૪ નામના આ વિધેયકમાં અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે. આ કાયદા હેઠળ, કહેવાતા ચમત્કારોનો પ્રચાર, કાળા જાદુ, ભૂત પ્રેત ભગાડવાના નામે શારીરિક પીડા આપવી, અનિષ્ટ શક્તિઓનો દાવો કરવો, અને અલૌકિક શક્તિના નામે જાતીય શોષણ જેવી પ્રવૃત્તિઓ ગુનો ગણાશે.

► દોષિતોને ૭ વર્ષ સુધીની જેલ, 50 હજાર સુધીનો દંડ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદા હેઠળ દોષિતોને ૬ મહિનાથી ૭ વર્ષ સુધીની જેલની સજા અને રૂ. ૫ હજારથી ૫૦ હજાર સુધીનો દંડ થઈ શકે છે. જોકે, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને આ કાયદાથી મુક્તિ આપવામાં આવી છે. વિધાનસભાના આ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ૨૦ ઓગસ્ટે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે, જેમાં સત્રનું વિસ્તૃત આયોજન નક્કી કરવામાં આવશે. આ વિધેયક ઉપરાંત અન્ય ચાર મહત્વપૂર્ણ વિધેયકો પણ આ સત્રમાં રજૂ થવાની શક્યતા છે. રાજ્ય સરકારે આ તમામ વિધેયકોને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે.

gujarat Assembly Introduces Anti AndhaShraddha superstition bill know about it in Gujarati , Andh Shradhdha Law In Gujarat Details , ગુજરાતમાં અંધશ્રદ્ધા કાયદો અમલમાં આવશે

► અંધશ્રઘ્ધા વિરોધી કાયદાની મહત્વની બાબતો

ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક ૨૦૨૪ તૈયાર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નિચેેની બાબતો ધ્યાને લઈને સુચવવામાં આવી છે. 

* ધાર્મિક વિધિ અને પરંપરાને કાયદાથી છૂટ આપવામાં આવી

* કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર - પસાર કરવો ગુનો ગણાશે

* ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે

* કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે

* સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લઈ જતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે

* ભૂત કે ડાકણ મંત્રોથી બોલાવી અન્યને ભયમાં મૂકવા તે બાબત પણ ગુનો બનશે

* ભૂત - ડાકણને બોલાવી અન્યોને શારીરિક ઇજા પહોંચાડવી પણ ગુનો બનશે

* ગર્ભ ધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાશે

* આંગળી દ્વારા શસ્ત્ર ક્રિયા કરવી કે તેમ કરવાનો દાવો કરવો પણ ગુનો ગણાશે

* આવો ગુનો કરનાર વ્યક્તિને ૬ મહિનાથી ૭ વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદામાં જોગવાઈ

* ગુનેગારને રૂ.૫ હજારથી ૫૦ હજારનો આર્થિક દંડ કરવાની પણ સૂચિત કાયદામાં જોગવાઈ


Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , gujarat Assembly Introduces Anti AndhaShraddha superstition bill know about it in Gujarati , Andh Shradhdha Law In Gujarat Details , ગુજરાતમાં અંધશ્રદ્ધા કાયદો અમલમાં આવશે, અંધશ્રદ્ધા



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us